*આઝાદીનો અણમોલ અવસર*
આઝાદીના અણમોલ અવસર એવા 77 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક કુમાર શાળા નંબર-8 માં રાષ્ટ્રગીત અને દેશ ભક્તિના ગીતો સાથે અપાર ઉત્સાહ અને અનેરા ઉમંગ સાથે કરવામાં આવી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સિધ્ધપુર શહેર ના પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ શેઠ ના વરદ્હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.તેઓ શ્રી એ પ્રસંગ ને અનુરૂપ ઉદ્બોધન કર્યુ હતું.
ધ્વજવંદન કાર્યક્રમ માં નગર પાલિકાના દંડક શ્રી કનુજી ઠાકોર, કોર્પોરેટર શ્રી શારદાબેન મકવાણા,વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. આમ સ્વતંત્ર દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી.








No comments:
Post a Comment