Thursday, August 19, 2021

75 મા સ્વાતંત્ર્યદિન ની ઉજવણી ....15/8/2021

          આજરોજ અમારી શાળામાં 75 મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. 
               આ પર્વ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે જગદીશભાઈ નાથાલાલ પરમાર ની વરણી કરવામાં આવી.આચાર્ય શ્રી દ્વારા પરમાર જગદીશભાઈ નું બુકે અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.અને જગદીશભાઈના વરદહસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવ્યું. ધ્વજ ને સલામી આપી ઝંડાગીત ગાવામાં આવ્યું.અને છેલ્લે રાષ્ટ્ર ગીત ગાવા માં આવ્યું. શાળાના આચાર્ય શ્રી એ વક્તવ્ય આપ્યું. 
            આ પર્વ નિમિત્તે  એસ. એમ.સી.નાઅધ્યક્ષ શ્રી કનુજી ઠાકોર ,એસ. એમ. સી ના સદસ્યો,વાલી ગણ અને વિદ્યાર્થીઓ એ  પણ  આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
           શ્રી જગદીશભાઈ એ શાળા ના વિકાસ માટે 11000/- અંકે રૂપિયા અગિયાર હજાર રૂપિયા રોકડા દાનમાં આપ્યા.
      ત્યારબાદ   વાલી મીટીંગ યોજવામાં આવી. નાસ્તો અને ચા- પાણીની વ્યવસ્થા કરવામાં આવી. વાલી મીટીંગમાં  અગત્યના મુદ્દા ની ચર્ચા કરવામાં આવી. 
           આમ અમારો આજનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો.











No comments:

Post a Comment